ડભોઈમાં વર્ષ 1958માં મહાગુજરાતની ચળવળ સમયે શહિદ થયેલ ડભોઈના કલ્યાણભાઈ શાહનો આજે 13મી ઓગસ્ટના દિવસે 61મો શહિદ દિવસ નિમિત્તે તેમના ભાજપ કાર્યકરો તેમજ સ્થાનિકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડભોઈના પટેલવાગામાં આવેલા તેમના શહિદ સ્મારક ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ડભોઈના મહાગુજરાત ચળવળના શહિદ કલ્યાણભાઈ શાહના શહિદ દિન નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, નારણભાઈ કંસારા, શશીકાન્તભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કિરીટભાઈ વસાવા, મુકેશભાઈ શાહ, મહેશભાઈ દાજી, નગર પાલીકા પ્રમુખ અનસૂયાબેન કે.વસાવા, રાજૂભાઈ બોરતલાવવાળા સહિત આગેવાનોએ કલ્યાણ પોલ ખાતે એકત્ર થઈ કલ્યાણભાઈ શાહના શહિદ સ્મારક ખાતે ફૂલહાર અર્પણકરી, દીપપ્રાગટ્ય કરી શ્રધ્ધાંજલી આપી હતી.
મહાગુજરાત ચળવળના શહિદને શ્રદ્ધાંજલિ અપાઈ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.