શ્રીદેવીનાં જન્મદિને ભાવૂક થયા બોની- જાહન્વી

admin
1 Min Read

બોલીવુડની દિવગંત અભિનેત્રી શ્રીદેવીનો 56મો જન્મ દિવસ છે. ત્યારે તેનાં જન્મ દિવસે તેની યાદમાં પતિ બોની કપૂર, દીકરી જાહ્નવી કપૂર અને દિયર અનિલ કપૂરે ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેમનો દર્દ અને શ્રીદેવી પ્રત્યેનો તેમનો પ્રેમ દેખાઇ આવે છે. ટ્વિટર પર ત્રણેય દ્વારા શ્રીદેવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી અને તેમનાં વિશે ખાસ મેસેજ પણ લખવામાં આવ્યો છે. શ્રીદેવીની પુત્રી અને અભિનેત્રી જ્હાન્વી કપુરે શ્રીદેવીનો ફોટો પોસ્ટ કરી ટ્વિટ કરીને લખ્યુ છે કે, હેપી બર્થ ડે મમ્મા.. આઇ લવ યુ.. જ્યારે શ્રીદેવીના પતિ બોની કપુરે ટ્વિટ કરીને લખ્યુ કે, હું જીવનની દરેક ક્ષણે તને મિસ કરુ છુ. તો બોલીવુડ અભિનેતા અનિલ કપુરે શ્રીદેવીને યાદ કરતાં લખ્યુ કે, તારુ હાસ્ય અને જીંદાદીલી અમારા વચ્ચે જીવંત છે… અમે તને દરરોજ યાદ કરીએ છીએ. મહત્વનું છે કે, ….શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીના 2018 રોજ દુબઇમાં નિધન થયુ હતું. તેના મુત્યુનું રહસ્ય આજે પણ અકબંધ છે…..શ્રીદેવીને તેના મુત્યુ પછી તેની ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો….શ્રીદેવી આજે જીવંત નથી પરંતુ તેની ફિલ્મ દ્વારા તે હમેશા જીવંત રહેશે.

Share This Article