પર્વોની શ્રેણી દિપાવલી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી કર્યા બાદ વડોદરામાં દેવ ઉઠી અગિયારસની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરના હાર્દસમાં માંડવી ટાવર પાસે જુના શ્રીવિઠ્ઠલનાથજી મંદિરમાંથી વહેલી સવારથી જ ભગવાનને સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન કરાવી ભગવાન વિઠ્ઠલનાથજીનો 210મો ભવ્યાતિભવ્ય વરઘોડો પ્રસ્થાન કરાવાયો હતો. આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના સ્થાનિક લોકો જોડાયા હતા. શહેરના રસ્તાઓ વિઠ્ઠલ-વિઠ્ઠલ – વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના કર્ણપ્રિય નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. માંડવી ટાવર નજીકથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના આ વરઘોડામાં બેન્ડવાજા, ભજન મંડળીઓ જોડાઈ હતી. આ પહેલા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, રાજઘરાનાના સભ્યો, મેયર ડો. જિગિશાબેન શેઠ સહિત વિવિધ અગ્રણીઓએ ભગવાનની પૂજા – અર્ચના કરી આરતી ઉતારી હતી. તેમજ મંદિરને મેઘધનુષી રોશનીથી શણગારી દેવામાં આવ્યુ હતું. ભગવાનના વરઘોડામાં સામેલ થયેલા ભક્તોને અગિયારસનો ફરાળી પ્રસાદ તેમજ ફળફળાદિ આપવામાં આવ્યો હતો.
વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો નીકળ્યો વરઘોડો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.