બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સોતવાડ ગામનો વિક્રમ શંકરભાઇ ચૌધરી નામનો વિદ્યાર્થી જે પાટણની એક શાળામાં અભ્યાસ કરતો હતો. જે ૭મી ઓક્ટોબરના રોજ ગુમ થઈ ગયેલ હોઇ જેની ફરિયાદ પરિવારજનોએ પાટણ ખાતે નોંધાઈ હોવા છતાં આજસુધી વિદ્યાર્થીની ભાળ ન મળતા આજરોજ પરિવારજનોએ પાટણ જિલ્લા કલેકટરમાં રજુઆત કરી હતી. અને કલેક્ટરના પી.આર.ઓ ચૌહાણને આવેદનપત્ર આપ્યું હતું. પોતાના પુત્રને શોધવા માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પણ એક બાળકનું અપહરણ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે અમદાવાદ પોલીસ અને ચાઈલ્ડ હેલ્પ લાઈનની મહેનત આખરે ફળી છે. અપહ્યુત બાળક અંતે સુરત રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે પણ આખી ઘટનામાં સૌથી આઘાતની વાત એ છે કે નાનકડા એવા 4 વર્ષના બાળકને અપહરણ કરનારે 24 કિલોમીટર સુધી ચલાવ્યો હતો.
ધાનેરાના સોતવાડ ગામનો વિદ્યાર્થી થયો ગુમ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.