અસામાજિક તત્વો સામે લાલ આંખ

admin
1 Min Read

રાજકોટના રાજનગર ચોકમાં બે દિવસ પૂર્વે દારૂ પીધેલા બે શખ્સોએ આતંક મચાવ્યો હતો. રાજનગર ચોકમાં આવેલ દુકાનોમાં તોડફોડ કરી બંધ કરાવી હતી. તો સાથે જ નિર્દોષ વેપારી ગોપાલ કાપડિયાને છરીના ઘા પણ ઝીંક્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી કબ્જે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે અંતર્ગત ગણતરીની જ કલાકોમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નવદીપ સિંહ જાડેજા અને હરકિશનસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. માલવિયાનગર પોલીસે આરોપીની ઓફિસમાં જડતી લેતાં વિદેશી દારૂની બોટલ પણ ઝડપાઈ હતી. ત્યારે આજ રોજ માલવિયાનગર પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઇ જઇ જાહેરમાં સરભરા તેમજ લોકો પાસે માફી પણ મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે છાકટા બનેલા શખ્સોએ બેફામ વાણીવિલાસ અને જાહેરમાં છરી ધોકા ઉડાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને દુકાન સંચાલકોએ દુકાનોના શટર ખેંચી લીધા હતા. થોડીવાર માટે આ વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને માલવિયાનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો, જો કે પોલીસ પહોંચે તે પૂર્વે ત્રિપુટી નાસી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ધમાલ કરનારાઓની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

 

Share This Article