રાજપીપળા ખાતે સંવિધાન બચાવો ચિંતન શિબિર યોજાઈ

admin
1 Min Read

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, બક્ષીપંચ અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમા ખાસ વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હાજર રહ્યા હતા. સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું અને જે એસ.સી.એસ.ટી સબપ્લાનના રૂપિયા સ્ટેચ્યૂઓ અને અન્ય કામોમાં વપરાય છે. જે બંધ થવા સાથે સંવિધાનને બચાવવા સંઘઠિત થવા સાથે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી આંદોલન કરવાનો પણ ટંકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનોએ સરકારની મનુવાદી રાજનીતિનો વિરોધ કરી એક થઇ પોતાના હક્કો પર તરાપ મારતી સરકારને મુહ તોડ જવાબ આપવાની વાત કરી હતી.

Share This Article