રાયખડ ચાર રસ્તા પાસે આઈ.પી.મિશન સ્કુલ સામે બીઆરટીએસની બસમાં આગ લાગતા બસમાં મુસાફરી કરતા પ્રવાસીઓેએ ગભરાટના માર્યા બુમાબુમ કરી મુકી હતી. જોકે બસ આગની જ્વાળાઓમાં લપેટાય તે પહેલા મુસાફરો ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર કર્મચારીઓે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી નાખી હતી. જોકે તે પહેલા બસ બળીને રાખ થઈ ગઈ હતી. આગને કારણે અહીં ચક્કાજામ સર્જાયો હતો. રાયખડ ચાર રસ્તા ,આઈ.પી.મિશન સ્કુલ પાસેથી બીઆરટીએસની બસ આસ્ટોડિયા તરફ જઈ રહી હતી ત્યારે બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેને પગલે પ્રવાસ કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે બસ આગની જ્વાળાઓમાં લપેટાય તે પહેલા મુસાફરો ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. જોતજોતામાં બસ આગની જ્વાલાઓમાં લપેટાઈ ગઈ હતી. બસમાં આગ લાગતા લોકો મોટી સંખ્યામાં અહીં એકઠા થઈ ગયા હતા અને પોતાના ફોનમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા. બસમાં આગ લાગતા અને લોકોની ભીડને કારણે અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -