સાણંદ તાલુકાના મોડાસર ગામે આંગણવાડીમાં 11 બાળકોની તબિયત લથડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદ તાલુકાના મોડાસર ગામે આંગણવાડીમાં વર્કર દ્વારા અપાયેલ નાસ્તા બાદ દૂધ બાળકોએ આરોગ્યું હતું અને જે દૂધ હતું તે આંગણવાડી બાળકોને દાનમાં આપેલ હતું તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ બાળકો ઘેર પહોંચ્યા ત્યારે 11 બાળકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને તેઓની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે સાણંદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આઠ બાળકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ બાળકોને સાણંદ ખાનગી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. ખાસ કરીને વાત કરીએ તો સવાલ મોટો એ થાય છે કે શું દૂધ અખાદ્ય હશે ? પરંતુ તે એક તપાસનો વિષય છે તેની જાણ તપાસ બાદ જ થશે.