અંબાજી-શિક્ષણ મંત્રીએ અંબાજી કર્યા દર્શન

admin
1 Min Read

યાત્રાધામ અંબાજી વિશ્વ ભરમાં પરખ્યાત છે. ત્યારે વર્ષ દરિયાન લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે અંબાજી આવતા હોય છે. દિગજ્જ નેતાઓ અને ફિલ્મ અભિનેતાઓ પણ અંબાજી દર્શન માટે આવતા હોય છે. ત્યારે રાજ્યના નવ નિયક્ત શિક્ષણ મંત્રી આજરોજ અંબાજી મંદિર ખાતે દર્શન માટે પહોચ્યા હતા. આજે વહેલી સવારે ગુજરાત રાજ્યના નવ નિયુક્ત શિક્ષણ મંત્રી અંબાજી પહોચ્યા હતા. ગુજરાત રાજ્યના નવ નિયુક્ત શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અંબાજી મંદિર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અંબાજી પહોચી કીર્તિસિંહ વાઘેલા માતાજી ની મંગલા આરતી માં જોડાયા હતા. માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બનાસકાંઠાના ભાજપ પ્રમુખ ગમાનસિંહ પણ મંગળા આરતી માં જોડાયા હતા. માતાજી ના ચરણોમાં શીશ ઝુકાવી શિક્ષણ મંત્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડા દ્વારા કીર્તિસિંહ વાઘેલા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અંબાજી ભાજપ મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા.

Share This Article