ઉનાળાના આકરા તડકાથી બચવા અને પર્યાવરણનું જનત કરવા માટે AMCએ શરૂ કર્યું હતું.એ ને નામ અપાયું હતું મિશન મિલિયન ટ્રીઝ. શહેરને શીતળ, લીલું અને વધુ સુંદર બનાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકાએ આ પહેલ કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રેહ્યું છે.આ અભિયાન ની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ઉગાવવાના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.ત્યારે હવે AMCએ વૃક્ષ ઉગાવવા માટે અનોખો પ્રયોગ કર્યો છે.. પડી ગયેલા વૃક્ષોને AMC દ્વારા રિ-પ્લાન્ટ કરાયા છે.. બે લીમડા અને એક કારો સિસારના વૃક્ષનું રિ-પ્લાન્ટ કરાયું છે.શાસ્ત્રીનગર સરકારી વસાહતમાં રવિવારે ત્રણ વૃક્ષ પડ્યા હતા.. વૃક્ષ પડ્યા બાદ ફરી એક વખત AMC દ્વારા વૃક્ષોને રિ-પ્લાન્ટ કરાયા છે. 30 વર્ષ જૂના વૃક્ષોને બચાવવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો