અમરેલી : સાવરકુંડલાથી અમરેલી જતી એસટી બસને નડ્યો અકસ્માત

admin
1 Min Read

અમરેલી નજીક પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલા-અમરેલી-ભાવનગર રુટ પર તોડતી બસ ટ્રક સાથે અથડાતા બસની આગળની ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા, જ્યારે ટ્રક પલટી ખાઈને રસ્તાની નીચે પડી ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, બસના ડ્રાઈવર સહિત પાંચ લોકોને ઈજા થઈ છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં આવા અકસ્માત અનેક વખત થતા રહે છે. સલામત સવારી કહેવાતી બસને અકસ્માત નડ્યો છે. સાવરકુંડલાથી અમરેલી જતી એસટી બસને ચરખડીયા નજીક ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. એસટી સાથે ધડાકાભેર ટ્રક અથડાતા 5 મુસાફરોને ઇજા થઇ છે. જેમાં બસના ડ્રાઈવરને પણ ઇજા થઇ છે. જયારે ટ્રક અથડાઈને પલ્ટી મારી ગઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

Share This Article