હાલ ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો શિકાર ના માત્ર સામાન્ય લોકો થઈ રહ્યા છે પણ રાજકીય અને સામાજીક આગેવાનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ વિહીપના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અમરેલી શહેર ભાજપ પ્રમુખ પણ કોરોના પોઝિટિવ થયા છે. ત્યારે અમરેલી પોલીસે કોરોનાના સંક્રમણને રોકવા માટે ખાસ અભિયાન હાથ ધર્યુ છે. પોલીસ દ્વારા લોકોને કોરોના સંક્રમણને રોકવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે અભિયાન શરુ કરાયુ છે.
આ માટે અમરેલી પોલીસ માઈક વગાડી લોકોને જાગૃત કરી રહી છે અને લોકોને માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોનાના કેસો વધી રહ્યા છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસોની સંખ્યા 3 હજારથી ઉપર નોંધાઈ રહી છે.