ભારતીય સેનાને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

admin
1 Min Read

દેશની સરહદો ઉપર રક્ષા કરતા દેશના વીર જવાનો ને યુદ્ધ ના સમયે તત્કાલ તબીબી સારવાર મળી રહે તે હેતુસર સુરત મેડિકલ કન્સલ્ટ એસોસિએશન દ્વારા ભારતીય સેના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બીકાનેર  આઈ.સી.યુ થી સું-સજજ  એમ્બ્યુલન્સ અર્પણ નો કાર્યક્રમ રંગ ભવન જીવન ભારતી સ્કુલ નાનપુરા ખાતે કરાયો છે.મેડિકલ કન્સલ્ટ એસોસિએશન અને સુરત ના અગ્રણી નાગરિકોના આર્થિક યોગદાનથી તૈયાં થયેલી એમ્બ્યુલન્સમાં  આઈ.સી.યુ ની તમામ સેવાઓ જેવી કે વેન્ટિલેટર, મોનિટર ,ડિફીબ્રિલેટર છે.જે ઘાયલ સેનિકો અને લાભાર્થીઓ ટ્રાન્સપોર્ટ માટે ખુબ ઉપયોગી થશેઆ પ્રસંગે મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ના સ્ટેશન કમાન્ડર બ્રિગેડિયર નીરજ સુકલા, ખ્યાતનામ સામાજિક કાર્યકર શ્રીમતી  સોનલ મોદી , હજાર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનો સંચાલન કરતા ડો. જયેશ શાહ, ડો. હિરલ બી. શાહ, ડો. ચેતન બી. શાહ , અને ડો. મુકુલ ચોકસીએ સહિત એસોસિએશન ના તમામ સભ્યોએ કાર્યક્રમમાં પધારેલા તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Share This Article