ધોરાજી શહેર માં હાલ ખૂબજ પ્રમાણમાં ડેન્ગ્યુ તથા ઝાડા ઉલ્ટી તથા વાયરલ તાવ જેવી ગંભીર બિમારી ફાટી નીકળેલ કે અને ધોરાજી શહેર નગરપાલિકા ની હદ તથા ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા નક્કર કામગીરી ન થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને સાફ સફાઈ તથા ડીડીટી છંટકાવ પણ નિયમોનુસાર કરવામાં આવ્યો નથીં તેમજ ધોરાજી માં કરોડો નાં ખર્ચે બંધાયેલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો તથા જરૂરી સાધન સામગ્રી નો પણ ખુબ જ અભાવ છે આ બાબતે ધોરાજી નાં પ્રબુધ્ધ નાગરિકો તથા વેપારી અને વકીલ મંડળ તથા સામાજિક સંસ્થાઓની બીન રાજકીય મીટીંગ બોલાવીને નિણઁય લેવા મા આવ્યો હતો જેમાં ધોરાજી ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારી સુવિધાઓ અને નિષ્ણાંત ડોક્ટરોની નિમણુંક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -