ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 423 કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 423 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં 423 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 17217 થઈ છે.

જ્યારે 24 કલાકમાં વધુ 861 દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ 25 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1063 થયો છે.

જ્યારે અત્યાર સુધી કુલ 10780 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 314 કેસ સામે આવ્યા છે.. જ્ચારે  સુરતમાં 36, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા-રાજકોટ-સાબરકાંઠામાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે આણંદ-પોરબંદરમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે.આ ઉપરાંત ભાવનગર-અરવલ્લી-પંચમહાલ-મહિસાગર-પાટણ-વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે..

Share This Article