બનાસકાંઠાના અમીરગઢને અડીને આવેલા રાજસ્થાનના આબુરોડ, સ્વરૃપગંજ રોડ પર સવારના છ વાગ્યાના સુમારે આગળ ઉભેલા ટ્રક પાછળ ઈકો ગાડી ઘુસી ગયી હતી. જેમાં સવાર ચાલક સહિત પંદર મુસાફરોમાંથી પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મધ્યપ્રદેશથી રામદેવડા જવા માટે નીક્યા હતા. ત્યારે આબુરોડ પાસે ભીમાણા રોડ પર ગાડીના ચાલકને સવારના છ વાગ્યાના સમયે મીઠી ઉંઘનું ઝોકું આવતા આગળ ઉભેલી ટ્રકની પાછળ ગાડીને ઘુસાડી દેતા મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. જ્યારે અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જાણના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચતા અન્ય ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આબુરોડ ટ્રોમા સેન્ટરમાં સારવારઅર્થે લઈ જવાયા હતા. સારવાર દરમિયાન બે બાળકો સહિત અન્ય ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઈસમો હાલ સારવાર હેઠળ છે. જ્યારે અકસ્માત પામનાર ગાડીના કુરચે કુરચા ઉડી ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આબુરોડ સ્વરૃપગંજ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે ૨૭ પર ભીમાણા પાસેના વળાંકમાં વારંવાર અકસ્માત સર્જાતા એક ગોઝારો પોઈન્ટ બની ગયો છે
બનાસકાંઠા : આબુરોડ પાસે હાઈવે પર અકસ્માત સર્જાયો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.