બનાસકાંઠા : કોરોનાની મહામારીના કપરા સમયે આપી એમ્બ્યુલન્સ ભેટ

admin
1 Min Read

બનાસકાંઠા જીલ્લાના અંબાજી માર્બલ ક્વોરી એન્ડ ફેક્ટરી એસોશિયેશન દ્વારા વર્તમાન કોરોના સંક્રમણ સામે ઉપયોગમાં લઈ શકાય તેવી એમ્બ્યુલન્સની ભેટ અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને આપવામાં આવી છે. અંબાજીની જનતા માટે તાજેતરમાં અંબાજી માર્બલ ક્વોરી એન્ડ ફેક્ટરી એસોશિયેશન દ્વારા એમ્બ્યુલન્સ દાન કરી છે.

 

આ પ્રસંગે ઉપસ્થિત અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા અને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલના અધિક્ષક શોભાબેન ખંડેલવાલ એ અંબાજી માર્બલ ક્વોરી એન્ડ ફેક્ટરી એસોશિયેશનના પ્રમુખ દિપકભાઈ વી  પટેલ, ઉપપ્રમુખ વિજયભાઈ ડી ત્રિવેદી, ડીકે ત્રિવેદી એન્ડ સન્સનો અને એસોશિએશનના તમામ હોદ્દેદારો સભ્યોનો એમ્બ્યુલન્સ અંગે આભાર વ્યક્ત કરી કોરોના સંક્રમણ સમયે અદ્યતન સુવિધા યુક્ત એમ્બ્યુલન્સ ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી

Share This Article