બનાસકાંઠા : દિયોદર ખુલ્લેઆમ ચાલતા માસ-મટનના ધંધા બંધ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે આજે સેવાભાવી સંસ્થા વિવિધ પ્રકારના સંગઠન તેમજ દરેક સમાજના લોકોએ દિયોદર શહેરમાં ખુલ્લેઆમ ધમધમતા માસ મટનના ધંધા બંધ કરવા માટે દિયોદર ગ્રામ પંચાયત સરપંચ ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી

દિયોદર રામાપીર મંદિર સામે તેમજ અન્ય જગ્યા પર માસ મટન ના બોર્ડ લગાવી ખુલ્લેઆમ માસ મટન નું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે આજે દિયોદર સેવાભાવી સંસ્થા,વિવિધ સંગઠનો તેમજ દરેક સમાજ ના લોકો એ એકઠા થઇ દિયોદર શહેર માં ખુલ્લેઆમ ચાલતા આવા ધંધા બંધ કરવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી આ બાબતે રજુઆત કરતા જણાવેલ કે ઘણા સમય થી દિયોદર શહેર માં માસ મટન નું વેચાણ થાય છે જે ધંધા બંધ કરવા માં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Share This Article