બનાસકાંઠા : ગાયત્રી શક્તિપીઠ અંબાજી મુકામે સામૂહિક હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

admin
1 Min Read

કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયેલ માં અંબાનું દ્વાર ફરી ભક્તો માટે ખૂલી ગયું છે. હાલ અંબાજી મંદિર ફરી ખૂલતા મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે આવી રહ્યાં છે. તો બીજી તરફ ગાયત્રી શક્તિપીઠ અંબાજી મુકામે વિશ્વમાં શાંતિ અને સદભાવના જળવાય લોકોમાં સુમેળ રહે, વ્યસનમુક્ત વિશ્વ બને , ફક્ત શિક્ષણ નહિ પરંતુ સારા સંસ્કાર આવનાર પેઢી મેળવે, લોકોમાં આત્મીયતા વધે ધર્મનું રક્ષણ થાય દેશ પ્રેમ જળવાય તેમજ કોરોનાકાળ જેવી વિપત્તિઓ થી રક્ષણ થાય તેવો હેતુ પાર પાડવા આજરોજ સામૂહિક હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.ધર્મ આસ્થા અને જનહિત સાથે જોડાયેલ પરિવાર ના સભ્યોએ પૂજા યજ્ઞ માં ભાગ લીધો હતો.ગાયત્રી પરિવાર વતી લોક જાગૃતિના કામમાં સમાજ સેવક તરીકે હૂંફ પૂરી પાડવામાં આવી હતી .

Share This Article