બનાસકાંઠા : પરેશ ધાનાણી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે આવ્યા

admin
1 Min Read

થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા,થરાદના સવપુરા ખાતે પરેશ ધાનાણીની ચૂંટણી સભાનું આયોજન થયું હતું. જેમાં 20 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે લોકોને જણાવ્યું હતું. ગુજરાત સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ હોવાનું જણાવી આજના યુવાનોને રોજગારી માટે દરદર ભટકવું પડે છે. રોજગારી 50 વર્ષના સ્તરે ઘટી ગઈ છે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે ભ્રષ્ટાચારીઓ નું રાજ ચાલી રહ્યું છે જેથી આ ચૂંટણીમાં જનતા આ બહેરી મૂંગી સરકારને જવાબ આપશે અને પેટા ચૂંટણીનું પરિણામ એ ગુજરાત ની બહેરી મૂંગી સરકારને જગાડવાનું પરિણામ હશે તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

Share This Article