ભરૂચ : જિલ્લાના નેત્રંગ ટાઉનના રસ્તાઓના ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ મુકવાની સખત જરૂરિયાત

admin
1 Min Read

નેત્રંગ ટાઉનના રસ્તાઓના ડિવાઇડરો ઉપર સ્ટ્રીટલાઇટ મુકવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે. ભરૂચ જીલ્લાના નેત્રંગ ટાઉનમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી સતત નાના-મોટા માલધારી વાહનોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે, નેત્રંગ રસ્તાઓ ઉપર સ્ટ્રીટલાઇટની સુવિધાના અભાવે રાત્રીના અંધકારના સમયે રસ્તાઓ સહિત સમગ્ર ગામમાં અંધકાર પ્રસરી જાય છે. વાહનચાલકોની મામુલી ગફલતથી જીવલેણ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ભુતકાળના સમય અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જ્યારે બાઇકચોર અને અસામાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે. જ્યારે બીજી બાજુએ ભરૂચ,નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા નેત્રંગને પોલીસતંત્રના ચોપડે એપીસેન્ટર ગણાય છે.

કારણ કે નેત્રંગ ચારરસ્તાથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લા અને માત્ર ૧૨ કિમી સુરત જીલ્લા સહિત ૫૦ કિમી પર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ ધઇ જાય છે,તેવા સંજોગોમાં કેટલીક ગુનાહિત પ્રવૃત્તિને આસાનીથી અંજામ આપી શકાય છે, તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં જ ત્યાં જ અંધકાર રહેતા અસમાજીક તત્વોને છુટોદોર મળી જતો હોય છે, જેથી આવનારા સમયમાં સરકારીતંત્ર અને ગ્રા.પંચાયતના સતાધીશો લોકોની સુરક્ષા-વ્યવસ્થાને પ્રાથમિકતા આપીને નેત્રંગ ટાઉનના રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટ મુકવાની કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે,નહીંતર આવનાર સમયમાં આ બાબતે આંદોલનના પણ ભણકારા વાગી રહ્યા છે…

Share This Article