કોરોના રિપોર્ટ નેગેટિવ પર બિગ-બીને આવ્યો ગુસ્સો, ટ્વિટ કરી કહી આ વાત..

admin
1 Min Read

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે બિગ બીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, અને બે-ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે.

અમિતાભ બચ્ચને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાની વાત પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે, આ સમાચાર ખોટા, બેજવાબદાર, નકલી અને અસત્ય છે. અમિતાભ બચ્ચનના આ ટ્વીટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનો રિપોર્ટ નેગેટિવ હોવાની વાત સાચી નથી અને હાલના સમયમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે.

જો કે, અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, આ જ કારણે તેણે આ ખોટા સમાચારો ફેલાવવા પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. અમિતાભ બચ્ચન પોતાની આરોગ્યની માહિતી ખુદ શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં દરેક લોકો બચ્ચન પરિવારના તમામ સભ્યો સ્વસ્થ થાય અને બને તેટલી વહેલી તકે ઘરે પરત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Share This Article