બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ 19 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ શો અનેક લોકોનો મનપસંદ શો છે, જેમાં કોઈ શંકા નથી. જોકે, હાલમાં જ અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરના સભ્યોને પણ આ શો ઘણો જ ગમે છે. તેમના ઘરમાં પણ બધા ‘કેબીસી’ રમે છે. મહત્વનું છે કે અમિતાભ બચ્ચને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ક્યારેક શ્વેતા તો ક્યારેક ઐશ્વર્યા આ ગેમ રમતા હોય છે. તેઓ ઘરમાં સાથે બેસીને એકબીજાને સવાલ પૂછતા હોય છે. જેમાં આરાધ્યા પણ આ શો જુએ છે અને સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. તેમની પાસે ભલે ગમે તેટલું કામ કેમ ના હોય પરંતુ શો શરૂ થાય એટલે ટીવી આગળ બેસી જ જાય. આ માટે તે જયાનો જાહેરમાં આભાર માને છે. મહત્વનું છે કે, શોમાં અભિષેક બચ્ચન ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો. જોકે, આ શોમાં અમિતાભ બચ્ચનના પરિવારમાંથી એક પણ સભ્ય સ્પર્ધક તરીકે ભાગ લઈ શકે નહીં, માત્ર ફિલ્મના પ્રમોશન માટે આ શોમાં આવી શકે છે.
બીગ-બીના પરિવારનો ચહીતો શો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment