The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો ભાજપ સરકારનો કારસોઃ શ્રી અમિત ચાવડા
ગુજરાત

અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો ભાજપ સરકારનો કારસોઃ શ્રી અમિત ચાવડા

Jignesh Bhai
Last updated: 07/08/2023 4:55 PM
Jignesh Bhai
Share
SHARE

• યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી ગુજરાતની આઠ યુનિવર્સિટીના અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો ભાજપ સરકારનો કારસોઃ અમિત ચાવડા

• યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી ભાજપ સરકાર યુનિવર્સિટીઓ પર સીધુ નિયંત્રણ કરવા ઈચ્છે છેઃ
ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ

• યુનિવર્સિટી કોમન એક્ટના અમલથી કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ વધશે – શિક્ષણ વધુ મોંઘુ થશે અને શિક્ષણનું વેપારીકરણ વધશેઃ ડૉ.મનિષ દોશી

- Advertisement -

• યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં એન.એસ.યુ.આઈ. લડત આપશેઃ નરેન્દ્ર સોલંકી.

ગુજરાતની યુનિવર્સિટીઓની સ્વાયત્તા ખતમ કરીને નિયંત્રણ કરવાના હેતુથી લાવવામાં આવેલ કોમન યુનિવર્સિટી બિલ કાયદો બનશે તો શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણને વેગ મળશે તેવી વિગતો સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલતી વિવિધ ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓની એકેડેમીક અને નાણાંકીય સ્વાયતતા આ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થવાથી ખતમ થઈ જશે. યુનિવર્સિટીમાં જાહેર જીવનના પ્રતિનિધિઓ – શિક્ષણવીદો – વિદ્યાર્થી પ્રતિનિધિઓ – શિક્ષક – પ્રોફેસરો – આચાર્યોના પ્રતિનિધિઓ, સેનેટ સીન્ડીકેટ સભ્યો ને સ્થાન ન મળતા ગુજરાતની સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ યુનિવર્સિટીઓમાં લોકશાહી ખતમ થઈ જશે. એરપોર્ટ વેચ્યાં, બંદરો વેચ્યાં, પી.એસ.યુ. વેચ્યાં એમ હવે યુનિવર્સિટીઓની કરોડો રૂપિયાની જમીન – મિલકતો પર ભાજપ સરકારનો ડોળો છે. ગુજરાતની આઠ યુનિવર્સિટીના અંદાજીત ૫૦ હજાર કરોડ કરતા વધુ રકમની મિલકતો, જમીનો વેચી કાઢવાનો કારસો ભાજપ સરકાર રચી રહી છે. હાલમાં યુનિવર્સિટીઓ – કોલેજોમાં મોટા ભાગે સ્ટાફ ખાલી છે ત્યારે ભરતી પ્રક્રિયાનો કેન્દ્રીય કરણ થશે જેથી ભરતી પ્રક્રિયામાં વધુ વિલંબ અને ભ્રષ્ટાચાર થશે. આ કાયદામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં એસ. સી., એસ.ટી., ઓ.બી.સી. કે ઈ.ડબ્લ્યુ.એસ.ને કોઈપણ પ્રતિનિધિત્વ નહી મળે જેથી ગુજરાતના શોષીત, વંચિત સમાજના લોકો – વિદ્યાર્થીઓનો અવાજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સુધી પહોંચશે નહીં.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કોમન યુનિવર્સિટી બીલની વિવિધ જોગવાઈઓમાં શિક્ષણ વ્યવસ્થાને થતા નુકસાન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ કાયદામાં પ્રવેશ પરિક્ષા પરિણામ વિશે કોઈ ઉલ્લેખ નથી. ભાજપ સરકાર માત્રને માત્ર યુનિવર્સિટીઓ પર સીધુ નિયંત્રણ કરવા ઈચ્છે છે. યુનિવર્સિટીઓ પાસે રહેલી શૈક્ષણીક સ્વાયતતા પણ આ કાયદાથી દુર થવા જઈ રહી છે. આ એક્ટમાં યુનિવર્સિટીની પ્રોપર્ટી ભાડે આપી શકાય, વેચાણ કરી શકાય અને ટ્રાન્સફર કરી શકાય તેવા પ્રાવધાન છે. દેશના શૈક્ષણિક ઈતિહાસમાં ક્યારેય ન લેવાયેલ આ નિર્ણય છે. વિશ્વ વિદ્યાલયોની સ્થાવર – જંગમ મિલકત વેચવાનો વિચાર જ શિક્ષણના અધઃપતન માટે પુરતો છે. જે શિક્ષણના ખાનગીકરણની ભાજપ સરકારની દાનત સ્પષ્ટ કરે છે. યુનિવર્સિટીના સર્વોચ્ચ આદેશ એટલે કે કુલપતિના નિયુક્તીમાં રાજ્ય સરકારે પસંદગી સમિતિમાં સરકારના શિક્ષણ વિભાગના સચિવને મુકવાનો નિર્ણય કર્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકારની નિયત માત્ર યુનિવર્સિટીઓનું નિયંત્રણ કરવાની છે. આ કાયદામાં બોર્ડ ઓફ ગવર્નન્સમાં લગભગ તમામ સભ્યો કુલપતિ અથવા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવશે તેવી જોગવાઈ છે. તે દર્શાવે છે કે, સત્તા મંડળના સભ્યોમાં સરકાર એવા લોકો ઈચ્છે છે કે જે ચર્ચાથી નિર્ણય ન કરે પણ સરકારના આદેશનું પાલન કરે.

ગાંધી વિચાર પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠ પર જે રીતે કબજો કરીને મનફાવે તેવા નિર્ણય કરવાની જેમ જ કોમન યુનિવર્સિટી બીલ લાવી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ પર કબજો કરવાની ભાજપા સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓનો કેન્દ્રીયકરણ કરી મનફાવે તે રીતે નિર્ણય કરવાની સત્તા ભાજપ સરકાર મેળવવા માંગે છે.

- Advertisement -

વિવિધ યુનિવર્સિટીઓમાં ૫૫ ટકા થી વધુ અધ્યાપકોની, ૪૫ ટકાથી વધુ વહિવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જ્યારે આ એક્ટને કારણે કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ વધશે. આ એક્ટના અમલવારથી શિક્ષણ વધુ મોંઘુ થશે અને શિક્ષણનું વેપારીકરણ વધશે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત વિશ્વ પ્રસિધ્ધ ગાંધી વિચારની ગુજરાત વિદ્યાપીઠ ભાજપ સરકારે કાવાદાવા કરીને બહુમતિના જોરે આંચકી લીધી છે. યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થવાથી રાજ્યની યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ કચેરીના એક્ટેન્શન સેન્ટર બની જશે. જેનાથી ઉચ્ચ શિક્ષણની વધુ અધોગતિ થશે અને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને મોંઘા શિક્ષણ મેળવવા ફરજ પડશે.

યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર, પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક અને પૂર્વ સીન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel