રાજકોટમાં યુવા ભાજપ મોરચા દ્વારા ૩૭૦ મીટરનાં તિરંગા સાથે એકતા યાત્રા યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી દેવાનાં નિર્ણયને આવકાર આપવા આ એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. એકતાયાત્રાનું હોમી દસ્તુર માર્ગથી પ્રસ્થાન થયું હતું. બાદમાં આ એકતા યાત્રા મુખ્ય રાજમાર્ગો પર ફરીને બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરામ પામી હતી. આ એકતા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, મહિલા અગ્રણી, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, નિતીનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ, નેહલ શુકલ, પ્રદિપ ડવ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. આ એકતા યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. યાત્રા દરમિયાન સરદાર પટેલની પ્રતિમાનો ફલોટ પણ સાથે રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા.
રાજકોટ શહેરમાં ભાજપની એકતા યાત્રા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment