સપનું થશે સાકાર… હવે તમે પણ જમ્મુ-કાશ્મીરમાં બનાવી શકશો તમારુ સપનાનું ઘર

admin
1 Min Read

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં વસવાટ પણ કરી શકે છે. ગૃહ મંત્રાલયે આ માટે નવી નોટિફિકેશન પણ જાહેર કરી છે. જોકે, હજી ખેતી લાયક જમીન પર પ્રતિબંધ યથાવત છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ અંગે જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રીઝ જમ્મુ-કાશ્મીરમાં આવીને સ્થપાય, તેથી ઈન્ડસ્ટ્રિયલ લેન્ડમાં ઈન્વેસ્ટ કરવાની જરૂર છે. પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ મર્યાદિત રહેશે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ફક્ત ત્યાંના સ્થાનીક લોકો જ જમીનની ખરીદ-વેચાણ કરી શકતા હતા. પરંતુ હવે જમ્મુ-કાશ્મીરની બહારથી આવતા લોકો પણ જમીન ખરીદીને ત્યાં ઉદ્યોગ સ્થાપી શકે છે અથવા તો ઘર પણ વસાવી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા અંતર્ગત લીધો છે. જેના પ્રમાણે હવે કોઈ પણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ઘર, દુકાન અથવા જમીન ખરીદી શકશે તેમજ ફેક્ટરી પણ શરૂ કરી શકશે. આ માટે કોઈ પણ પ્રકારના સ્થાનિકક રહેવાસી હોવાના પુરાવાઓ આપવાની જરૂર નહીં પડે.

Share This Article