ઓકટોમ્બરના બીજા સપ્તાહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવવાના છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે ચેન્નાઈના મહાબલીપુરમમાં અનૈપચારિક બેઠક થશે. શી જિનપિંગના પ્રવાસને લઈને ચીનના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આ બેઠકમાં કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કરવામાં આવે. વડાપ્રધાન મોદી અને જિનપિંગ પોતે શું ઈચ્છી રહ્યા છે તે વાતને તેમના પર છોડી દેવી જોઈએ. જણાવી દઈએ કે ગત વર્ષે એપ્રિલમાં ચીનના વુહાનમાં મોદી અને જિનપિગ વચ્ચે એક વાર અનૈપચારિક બેઠક થઈ છે.
મળતી માહીતી મુજબ ચીને પાકિસ્તાનના સહયોગથી ગત મહિને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ગુપ્ત બેઠક કરી હતી. જેમાં ચીન સહિત સુરક્ષા પરિષદના 5 સ્થાઈ સભ્યો અને 10 અસ્થાઈ સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે ભારતે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાતની તારીખ જાહેર કરી નથી. પરંતુ એક અહેવાલ મુજબ ચીન 8 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની યજમાની કરશે. વડાપ્રધાનનું પદ ગ્રહણ કર્યા પછી ઈમરાન ખાનનો પાકિસ્તાનમાં 3જો પ્રવાસ યોજાશે.