વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીરચક્રથી સન્માનિત કરવામાં આવશે. ભારત દ્વારા પાકિસ્તાન પર પહેલા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને ત્યારબાદ એર સ્ટ્રાઈક. એર સ્ટ્રાઈક વખતે વિંગ કમાન્ડર અભિનંદન ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સરહદમાં પહોંચી ગયા હતા અને ત્યાની આર્મીએ તેની ધરપકડ કરી હતી. પાકિસ્તાની આર્મી દ્વારા ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનની બહાદૂરી બદલ તેમનું વીર ચક્રથી સન્માન કરવામાં આવશે. આવતીકાલે જ્યારે સ્વતંત્રા દિવસ છે ત્યારે દિલ્હી ખાતે તેમનું સન્માન કરાશે. વીર ચક્ર ત્રીજા ક્રમનું સૌથી મોટું સન્માન છે. વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું લડાકૂ વિમાન F-16ને તોડી પાડ્યું હતું. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે. પ્રથમ પરમવીર ચક્ર છે પછી મહાવીર ચક્ર હોય છે અને ત્યારબાદ વીરચક્ર એમ ત્રણ કેટેગરીમાં ટોપ મીલીટ્રી ઓનર આપવામાં આવે છે. સરકારે અભિનંદન માટે વીરચક્ર એવોર્ડની પસંદગી કરી છે. વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈકમાં સામેલ રહેલા મિરાજ-2000ના પાયલટને વાયુસેના મેડલ આપવાની પણ જાહેરાત કરી હતી. ભારતીય પાયલટોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ઈઝરાયલમાં બનેલા સ્પાઈસ 2000 બોમ્બથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અંદાજે 300 આંતકીઓને મારવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -