ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 21044 થયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. અનલોક  1 લાગુ કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદથી રાજ્યમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 470 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નવા 470 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 21044 થઈ ગઈ છે. બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 409 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 33 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1313 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 14373 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જ્યારે સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા છે.  જ્યારે ભાવનગર-પંચમહાલ-પાટણ-ખેડા-અમરેલીમાં 3-3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભરુચ-વલસાડ-રાજકોટમાં 2-2 પોઝિટિવ કેસ નોંધાયા છે.તો કચ્છ-જુનાગઢ-નવસારી-અરવલ્લી-બનાસકાંઠામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. હાલ રાજ્યમાં કુલ 5358 એક્ટિવ કેસ છે જે પૈકી 64 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5299 દર્દી સ્ટેબલ છે.

Share This Article