રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો

admin
1 Min Read

ગુજરાતમાં હજી પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 31 ઓક્ટોબર સાંજથી 1 નવેમ્બર સાંજ સુધીમાં વધુ 860 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,73,804 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1128 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

રાજ્યમાં 24 કલાકમાં વધુ 5 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3724 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,57,247 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 220 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 177, વડોદરામાં 117 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 12833 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.
Share This Article