સમાજ ઘર-કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

admin
1 Min Read

પાવીજેતપુર ખાતે ૨૦ લાખનાં ખર્ચે બનાવાયેલ નવીન સમાજ ઘર-કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર હાઈવે નંબર 56 ની બાજુમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનાં સ્મારકની પાસે ૨૦ લાખનાં ખર્ચે બનાવેલ નવીન સમાજ ઘર-કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને પંચવટી વિકાસ કેન્દ્રનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને જેતપુર ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા નાં હસ્તે કરવામાં આવ્યુ હતું.

જેમાં ઉપસ્થિત મહાનુભાવો માં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, જેતપુર વિધાનસભા ના ધારાસભ્ય સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઉમેશભાઈ શાહ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જગાભાઈ તેરસીંગભાઇ રાઠવા,જેતપુર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા વજીબેન રાઠવા પાવીજેતપુર, પાવીજેતપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નવલસિંહ રાઠવા, જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલ ભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ રાઠવા, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાવીજેતપુર તાલુકા પંચાયત શીતલબેન લલિતચંદ્ર રોહિત,જેતપુર તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન તડવી વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલિત ચંદ્ર રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું

Share This Article