Connect with us

ગુજરાત

ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી

Published

on

ઓનલાઇન ઓર્ડરના આધારે ફૂડની હોમ ડિલીવરી કરતી કંપનીઓમાં વધેલા વ્યાપ બાદ હવે ડિલીવરી બોય દ્વારા ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી કરવાની શરૂ થઇ  હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ફૂડની સાથે સાતે બીયરની ટીન પણ ડિલીવરી કરતા સ્વિગીના એક ડિલીવરી બોયને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના  ગોત્રી વિસ્તારમાં આવેલા નદીશ કોમ્પ્લેક્ષ પાસેથી એક સ્વિગીનો ડિલીવરી બોય બીયરના ટીનની ડિલીવરી આપવા માટે જઇ રહ્યો હોવાની બાતમની મળતાં લક્ષ્મીપૂરા પોલીસ મથકના ઇન્ચાર્જ પો.ઇ. કે.એ.ગોહીલ, પીએસઆઇ આર.એન. બારૈયા તથા એ.એસ.આઇ કાર્તીકસિંહ કિશોરસિંહ સહિતના સ્ટાફે વોચ રાખી હતી. બાઈક પર સ્વીગીની બેગ સાથે પસાર થઇ રહેલા એક યુવાનને આંતરીને પોલીસે તેની પૂછપરછ કરતાં લક્ષ્મીપુરા ગામનો રાહુલસિંહ કરણસિંહ મહીડા હોવાનું તેણે જણાવ્યુ હતુ. તેની બેગમાંથી બીયરના છ ટીન મળી આવ્યા હતા. તે ડિલીવરી આપવા માટે જઇ રહ્યો હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તે સ્વિગી કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી ડિલીવરી બોય તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ તેણે બીયરના ટીન સપ્લાય કરવાનો વ્યક્તિગત ધોરણે પહેલો જ ઓર્ડર લીધો હતો. જેમાં જ તે પકડાઇ ગયો હતો. પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને તેની બાઈક, મોબાઇલ વગેરે મત્તા કબ્જે કરીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાધ ધરી હતી.

Ab to direct home delivery

Gepostet von Shubham Agrawal am Sonntag, 18. August 2019

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એન્ટરટેનમેન્ટ

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Published

on

By

પ્રભાસની આદિપુરુષ 6 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. નિર્માતાઓએ હવે જાહેરાત કરી છે કે તેઓ લોકોની આસ્થાને માન આપવા માટે દરેક થિયેટરમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

પ્રભાસની આગામી ફિલ્મ, આદિપુરુષ, 2023 ની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મ રિલીઝ થવામાં ભાગ્યે જ બે અઠવાડિયા બાકી હોવાથી, નિર્માતાઓએ પ્રમોશનના અંતિમ તબક્કાની શરૂઆત કરી છે. તાજેતરમાં, આદિપુરુષ ટીમે રિલીઝને લઈને એક જાહેરાત કરી હતી. નિવેદન અનુસાર, આદિપુરુષ સ્ક્રિનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ વેચાતી નથી. આ ન વેચાયેલ આસન લોકોની આસ્થાની ઉજવણી માટે ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. આદિપુરુષ ટીમ ભગવાન હનુમાનને દરેક થિયેટરમાં 1 બેઠક સમર્પિત કરે છે

ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ, 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં સ્ક્રીન પર જોવા મળશે.

ફિલ્મની રિલીઝ પહેલા, નિર્માતાઓએ જાહેરાત કરી છે કે દરેક થિયેટરમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. દરેક સ્ક્રિનિંગમાં, સીટ વેચાયા વિનાની રહેશે.

તેમના નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, “જ્યાં પણ રામાયણનું પઠન કરવામાં આવે છે ત્યાં ભગવાન હનુમાન દેખાય છે. તે અમારી માન્યતા છે. આ માન્યતાને માન આપીને, પ્રભાસની રામ-સ્ટારર આદિપુરુષ સ્ક્રીનીંગ કરનાર દરેક થિયેટર તેને વેચ્યા વિના ભગવાન હનુમાન માટે એક સીટ અનામત રાખશે. તેમને આદર આપવાનો ઇતિહાસ સાંભળો. રામના સૌથી મહાન ભક્ત. અમે આ મહાન કાર્યની શરૂઆત અજ્ઞાત રીતે કરી છે. આપણે બધાએ ભગવાન હનુમાનની હાજરીમાં આદિપુરુષને ખૂબ જ ભવ્યતા અને ભવ્યતા સાથે જોવું જોઈએ.”

અહીં નિવેદન છે:

આદિપુરુષ વિશે બધું
આદિપુરુષ એ ભારતીય મહાકાવ્ય રામાયણ પર આધારિત પૌરાણિક ફિલ્મ છે. આ ફિલ્મ ઓમ રાઉતે લખી છે અને નિર્દેશિત કરી છે. જ્યારે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સની સિંહ અને દેવદત્ત નાગે સહાયક ભૂમિકામાં જોવા મળશે.

રૂ. 500 કરોડના વિશાળ બજેટમાં બનેલી, આ ફિલ્મ તેની શરૂઆતથી જ અનેક અવરોધોમાંથી પસાર થઈ હતી. સૈફ અલી ખાનની ‘રાવણ એ માનવીય છે’ ટિપ્પણીથી લઈને નબળા VFX માટે પ્રતિક્રિયા આપવા સુધી, આદિપુરુષે આ બધું જોયું છે. આ ફિલ્મ હવે વિશ્વભરની બહુવિધ ભાષાઓમાં ભવ્ય રિલીઝ માટે તૈયાર છે.

Continue Reading

ગુજરાત

દોઢ મહિના પહેલા ગુમ થયેલ બિઝનેસમેનની 40 દિવસ પછી નાળાની પાઈપમાંથી મળી આવી લાશ

Published

on

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં સુરેશ મહાજન ગુમ થવા અંગેની જાણ કરવામાં આવે છે. નરોડા પોલીસે સુરેશની શોધખોળ માટે તપાસ હાથ ધરતાં સુરેશ મહાજન સાથે અન્ય ત્રણ ઈસમ પણ હોવાની શંકા ગઈ. સુરેશ સાથે કામ કરતા ત્રણ શખસ પણ એપ્રિલ મહિનાથી ગુમ હતા, જેમના ફોન અવારનવાર ચાલુ બંધ થતા હતા.

‘પ્રી-પ્લાન મુજબ, આ ક્રેટા અરવિંદ ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટમાં રણજિત કુશવાહ બેઠો હતો.’નરોડાથી નીકળેલી કાર પ્રતિ કિલો મીટર 50થી 60ની સ્પીડે રાજસ્થાન તરફ આગળ વધી રહી હતી. કારમાં બેઠેલા બીજા લોકો કરતાં સુરેશભાઈને પ્લાનિંગ મુજબ વધારે દારૂ પિવડાવવામાં આવ્યો હતો.

જ્યારે કાર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ઊભી રહી હતી અને કારમાં સવાર રણજિત કુશવાહ, અનુજ, સૂરજ અને અરવિંદ એમ ચારેય લોકો ફ્રેશ થવા માટે કાર બહાર નીકળ્યા. જોકે એ સમયે સુરેશ મહાજન કારમાં પાછળની સીટ પર બેઠા રહ્યા, ત્યારે ડ્રાઇવરની બાજુમાં બેઠેલા રણજિત કુશવાહે કારની સીટ પાછળ ખસેડી હતી, જેથી સુરેશભાઈના હાથ અને પગ હલી શકે એમ ન હતા. એ સમયે કારની પાછળની સીટ પર બેઠેલા અનુજ અને સૂરજે પોતાની પાસે સંતાડેલી હથોડી બહાર કાઢીને સુરેશભાઈના માથામાં ફટકા મારવાનું શરૂ કરી દીધું, જેથી સુરેશભાઈ ત્યાં જ બેભાન થઈ ગયા.એવું ચારેય શખસને લાગ્યું હતું. ત્યાર બાદ આગળની સીટમાં બેઠેલા રણજિતે સુરેશનું 15થી 20 મિનિટ સુધી ગળું દબાવી રાખ્યું અને ત્યાર બાદ તેમને અંદાજ આવ્યો કે હવે સુરેશભાઈનું મોત થઈ ગયું હતું.

‘આ સમયે કાર અરવિંદ ચલાવી રહ્યો હતો અને કાર ઉદયપુર તરફ આગળ વધી અને લાશનો નિકાલ કરવા માટે ચારેય શખસ અનેક આઇડિયા અંગે વિચાર કરતા હતા. જ્યાંથી થોડે જ દૂર કાર સાઈડમાં ઊભી રાખીને સુરેશની લાશને ઢસડીને રસ્તા નીચેથી પસાર થતા બોગદાની અંદર પાઇપમાં લાશને નાખી સંતાડી દીધી. સુરેશ મહાજનની લાશ નાળા નંબર 341 / 1 નીચે નાખી દીધી હતી.

‘ત્યાર પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણ થાય છે કે આ બધામાંથી એક આરોપી બિહારના નક્સલી વિસ્તારમાં છુપાયેલો છે, પણ તેનું ચોક્કસ લોકેશન પોલીસને મળતું ન હતું. પોલીસ ધીમે ધીમે તેના સુધી પહોંચવા માગતી હતી અને અમદાવાદથી ક્રાઈમ બ્રાન્ચના PSI વિજયસિંહ, કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાગરાજ ભાઈ અને PSI પી.એચ. જાડેજા બિહાર જવા માટે નીકળ્યા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બિહાર પહોંચ્યા બાદ આરોપી ક્યાં સંતાયો છે? એ સૌથી મોટો સવાલ હતો.

આ દરમિયાન એક ઘરની અંદર અરવિંદ છુપાયેલો હતો. જેથી પોલીસે દરવાજો ખખડાવ્યો તો સામે અરવિંદ ઊભો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અરવિંદને ખેંચીને ગાડીમાં બેસાડી દીધો અને ગાડી સીધી જ અમદાવાદ આવવા નીકળી ગઈ.’

‘ક્રાઇમ બ્રાન્ચે અરવિંદની પૂછપરછ હાથ ધરતાં અરવિંદ પોપટની જેમ બોલવા લાગ્યો કે તેના શેઠ રણજિત કુશવાહે તેને હત્યા કરતી વખતે સાથે રાખ્યો હતો અને બધાને બિહારમાં ઉતારીને તે જતો રહ્યો હતો

રાજસ્થાનમાં એક જગ્યા પર આવીને અરવિંદ કહેતો હતો કે ‘આટલામાં લાશ પડી છે.’ આમ છતાં નક્કર કડી મળતી ન હતી. રાતના સમયે પોલીસ એક જગ્યાએ પહોંચી ત્યાં નાળા નંબર 341/1 હતો જ્યાં થોડી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે ત્યાં જઈને ટોર્ચ મારી તો સુરેશની સડી ગયેલી લાશ મળી આવી . 21 એપ્રિલે ગુમ થયેલા સુરેશ મહાજનની લાશ 31 મેના રોજ એટલે કે 40 દિવસ બાદ મળી આવી.’

Continue Reading

ગુજરાત

રાજકોટ પોલીસે નકલી પોલીસની કરી ધરપકડ, આરોપી પોતે સાયબર ક્રાઈમ ઓફિસર હોવાનું કહી પૈસા વસૂલતો હતો

Published

on

ખાકી પહેરીને પોલીસમાં ફરજ બજાવવાનું દરેક યુવાનનું સપનું હોય છે. કેટલાક લોકો પોલીસ વિભાગની પરીક્ષા પાસ કરીને પોલીસમાં ફરજ બજાવે છે, જ્યારે જેઓ પરીક્ષા પાસ કરી શકતા નથી તેઓ નકલી પોલીસ બનીને મુશ્કેલીમાં મુકાયેલા લોકો પાસેથી પૈસા પડાવી લે છે. આવી કેટલીક નકલી પોલીસને કારણે અસલી પોલીસની છબી ખરડાય છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જેમાં 19 વર્ષનો યુવક નકલી પોલીસ બનીને એરગન સાથે શહેરમાં ફરતો હતો. રાજકોટ સાયબર ક્રાઈમ સેલે માહિતીના આધારે નકલી પોલીસ બનીને નાસતા ફરતા એક યુવકને પકડીને તેના સ્થાને લાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષીય સાહિલ મુલ્યાણી સાયબર ક્રાઈમના અંડરકવર ઓફિસર તરીકેની ઓળખ આપીને રાજકોટના વિવિધ વિસ્તારોમાં લોકોને ઉશ્કેરતો હતો. આ સાથે પોલીસનો ડર બતાવીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્યાં પણ સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ પ્રોગ્રામ હોય ત્યાં તે ઓફિસર તરીકે પહોંચી જતો અને સાયબર ઓફિસર હોવાનું કહીને મુખ્ય અતિથિ તરીકે સેમિનારમાં ભાગ લેતો. રાજકોટ સાયબર સેલને બાતમી મળી હતી કે આ નકલી સાયબર ઓફિસર ખોટી ઓળખ આપીને શહેરના વિવિધ વિસ્તારોમાં નાસતો ફરતો હતો. બાતમીના આધારે પોલીસે શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્વાર્ટસમાં આરોપીના ઘરે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

જ્યાં તેની પાસેથી સાયબર સેલના અધિકારીનું નકલી આઈડી કાર્ડ અને એરગન મળી આવી હતી. આરોપી સાહિલ મુલાયાની કમર પાસે એરગન રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવતો હતો. સાયબર ક્રાઈમની ઓફિસમાં ઓફિસરની ચેમ્બરની બહાર સાયબર ક્રાઈમનું બોર્ડ લટકાવતું હતું, જાણે તેમના ઘરે સાયબર ક્રાઈમ લખેલું બોર્ડ હોય. રાજકોટ સાયબર ક્રાઈમે હવે તેની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતાં તે છેલ્લા ત્રણ માસથી નકલી અધિકારીની ઓળખ આપી શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેટલમેન્ટનું કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ રાજકોટ સાયબર ક્રાઈમના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

Continue Reading
Uncategorized24 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized1 hour ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending