ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની માંગ

admin
1 Min Read

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદના વધી રહેલા કિસ્સાને ધ્યાને રાખીને યોગી આદિત્યનાથ દ્વારા કડક કાયદો લાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ પણ આવો કાયદો લાવવા જઇ રહી છે તેવામાં ગુજરાતમાં પણ આ પ્રકારનો કાયદો આવે તેવી માંગ ઉઠી રહી છે. આ માંગ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવી છે.

ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ માંગ કરી છે કે, લવ જેહાદના કિસ્સાઓ ગુજરાતમાં પણ ખુબ જ વધી રહ્યા છે તેવામાં આવા કિસ્સાઓને ડામવા માટે કડક કાયદો આવે તે ઇચ્છનીય છે.

હું ગુજરાત સરકારને આ અંગે રજુઆત પણ કરીશ. જે પ્રકારે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ કાયદો લાવવો જોઇએ. ધારાસભ્યએ જણાવ્યું કે, ખોટા નામ ધારણ કરીને હિન્દુ યુવતીઓને ફોસલાવીને જબરદસ્તી ધર્મ પરિવર્તનના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. તેવામાં ગુજરાત સરકારે પણ આ પ્રકારનો કાયદો લાવવો પડશે. શૈલેષ મહેતાએ વધુમાં જણાવ્યું કે, આ અંગે મારા સહિત અનેક ધારાસભ્યો સરકારમાં રજુઆત કરશે. આ અંગે કાયદો આવે તે ખુબ જ જરૂરી છે. સરકારને રજુઆત કરાશે અને આવો કાયદો આવે તેવા પ્રયાસો કરીશું.

Share This Article