ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ કર્યા સૂત્રોચ્ચાર

admin
2 Min Read

વડોદરાના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીની મુખ્યકચેરી રેસકોર્સ ખાતે સુત્રોચ્ચાર કરીને દેખાવો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં તમામ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરીઓ ની સામે સુત્રોચાર કરીને લડતનો આરંભ કર્યો હતો. ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ વતી બળદેવ.એસ.પટેલ, બી.એમ. શાહ, ગીરીશભાઈ જોશી, આર. બી. સાવલિયા, મહેશ. એલ.દેશાણી વગેરેએ જણાવ્યુ હતુ કે, આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા એક વર્ષ થી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જાખાતાના કર્મચારીઓ ને સાતમા વેતન પંચ મુજબ એલાઉન્સ, એચ આર એ, જીએસ ઓ ૪ મુજબ ખૂટતો સ્ટાફ અને કામ ન પ્રમાણ માં વધારાનો સ્ટાફ રજા ના પૈસા રોકડ માં ચૂકવવા, મેડિકલ ના લાભો આપવા, અને અન્ય લાભો જે માંગણી કરેલ હતી.  તે આપવા સતત રજૂઆતો કરવામાં આવી હતી.  પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી કરી નથી. અલબત્ત મિટિંગ માં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુતર આપવાની પણ કોશિશ કરી નથી.જેના કારણે જ સાતેય કંપનીઓ ના કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો છે.  આ જ કારણે આખરે લડત કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં  વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યુ છે.  આજે  લાભ પાંચમ ના શુભ મુહૂર્ત ના દિવસે જેટકો, જીસેક અને ડિસ્કોમ કંપનીઓ ના ડીવીઝન, સર્કલ, ઝોનલ ઓફિસ અને નિગમિત કચેરી સામે સાંજે ઓફીસ અવર્સ બાદ સુત્રોચાર ના કાર્યક્રમ નું આયોજન કર્યુ હતુ. જેમાં ખૂબ મોટી સંખ્યા માં કર્મચારીઓ અને ઇજનેરો હાજર રહ્યા હતા.

Share This Article