મહા વાવાઝોડાની દહશત સામે દીવ પ્રશાસન સજ્જ

admin
2 Min Read

મહા વાવાઝોડું 7 તારીખે વહેલી સવારે પોરબંદર અને દીવની વચ્ચેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે દિવના દરિયા કિનારા પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જેમ જેમ મહા વાવાઝોડાની અસર વધી રહી છે તેમ તેમ સરકારના એક પછી એક ઠોસ નિર્ણયો સામે આવી રહ્યા છે. ત્યારે દીવ મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવ પ્રશાસન સજ્જ બન્યું છે. દીવના વણાંક બારા ખાતે શેલ્ટર હાઉસની દીવ કલેકટર સલોની રાઈએ મુલાકાત લીધી હતી. વણાંક બારાના ગોમતી માતા વિસ્તારોમાંના લોકોને તેમજ વણાંક બારાના અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત મકાન વાળા થતા નળીયા વાળા મકાનના લોકોએ તથા દરીયા કીનારાનાએ આવનારી મુશીબતને હલ્કાઈથી ન લેવા આદેશ અપાયા હતા. લોકોને શેલ્ટર હાઉસમાં સ્વિફ્ટ થવા સુચન આપવામાં આવ્યું છે. આવનારી મહા વાવાઝોડાની મુશીબતમાં કોઈ જાનહાનિ નાં થાય તે માટે દીવ પ્રશાસન સજ્જ બન્યું છે. તેની સાથે જ રાજ્ય સરકારે મહા વાવાઝોડાની દહેશત વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દીવ આવેલા પ્રવાસીઓને આવતીકાલ સુધીમાં દીવ છોડી દેવાનો આદેશ આપી દેવાયો છે. તંત્ર દ્વારા અત્યારથી જ દરિયા કિનારો ખાલી કરાવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. દીવના જિલ્લા કલેક્ટરે માહિતી આપી કે મહા વાવાઝોડાની અસરને પગલે 8 શેલ્ટર હોમ શરૂ કરાયા છે. અને જરૂર જાણાય ત્યારે દરિયા કિનારાના લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

 

Share This Article