ડભોઇના એસટી ડેપો નજીક જલારામ રોડ પર ઝૂપડામાં લાગી આગ હોવાનો બનાવ સામે આવ્યો હતો. આગ લાગવા અંગે જાણ થતા ઝુંપડામાં રહેતા પાંચ લોકો તાત્કાલિક બહાર આવી ગયા હતા, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બનાવ અંગે જાણ થતા સ્થાનિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, જેણે તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવને પગલે ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે આ બનાવ માં કોઈ મોટી જાણ હાની થવા પામી નથી. મળતી માહિતી મજુબ, ડભોઇ એસટી ડેપોથી જલારામ મંદીર જવાના રસ્તા પર જૂના એસટી સ્ટેન્ડની બાજુમાં કેટલાક દેવીપૂજક સમાજના લોકો પતરાવાળા મકાન બાંધી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. હિતેશ જગદીશભાઈ ગોદડીયા તેના માતાને દવાખાને લઈ ગયા હતા. તે અરસામાં વીજ વાયરોમાં શોટસર્કીટ થતાં તેમના પતરાવાળા મકાનમાં આગ ભભુકી ઉઠી હતી. જેના પગલે આસપાસના લોકો દ્વારા ફાયર ફાઈટરને જાણ કરતાં ડભોઇ નગર પાલીકા ફાયર ફાઈટરના અધીકારીઓએ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -