વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે આજે ઓર્ગન ડોનેશન અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત યુનિવર્સીટી, એપોલો હોસ્પિટલ, વુમન ડોક્ટર વીંગ , ઇન્ડીયન મેડિક્લ એસોસિયેશન જે.જી કોલેજ ઓફ બી.બી.એ અને નારાયણગુરૂ કોમર્સ કોલેજના સંયુકત ઉપક્રમે સેનેટ હોલ ગુજરાત યુનિવર્સીટી ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેશ પ્રોગામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય ચેર પર્સન ,વુમન ડોક્ટર વીંગ ઇન્ડીયન મેડિક્લ એસોસિયેશનનાં ડૉ. મોના દેસાઈ, અપોલો હોસ્પિટલ્સ અમદાવાદનાં સીઓઓ ડૉ. વિશ્વદીપ ગોયલ, ગુજરાત યુનિવર્સિટીનાં લાઈબ્રેરીયન યોગેશ પારેખ, નારાયણ ગુરુ કોલેજનાં પ્રોફેસર પ્રતિકભાઈ સહિત અન્ય પ્રોફેસર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ભારતમાં અંગદાનની વાત કરવામાં આવે તો આપણા ત્યાં અંગોની જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચે મોટો ફરક છે. ભારતમાં લગભગ 1.5 લાખ લોકોને કિડનીની જરૂર છે જેની સામે 3,000 લોકોને કિડની મળે છે. ભારતમાં દર વર્ષે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત 25,000 દર્દીઓને છે, પણ ફક્ત 800 દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. અંગોની ઊણપ હોવાનાં કારણે અંગ પ્રત્યારોપણ માટે અંગદાનની રાહ જોતાં 90 ટકા લોકો મૃત્યુ પામે છે. જેને લઈને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પોતાના અંગદાન ડોનેટ કરવાનાં શપથ લીધા હતા.