Connect with us

પોલીટીક્સ

ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન, નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત સાથે યુદ્ધ થશે

Published

on

જમ્મુ કાશ્મીર મુદ્દે અકળાયેલા પાકિસ્તાનના નેતા શેખ રશીદે ફરી એક વખત યુદ્ધની ભવિષ્યવાણી કરી મહિનાની પણ જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પાસે જે હથિયાર છે તે બતાવવા માટે નહીં પણ તેનો ઉપયોગ કરવા માટે છે. પાકિસ્તાન છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર માટે લડતું રહેશે. મીડિયા સાથેની વાતચીતમાં શેખ રાશિદે જણાવ્યું કે, ‘ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખેલાશે. તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે નિકળ્યો છું. એ જરૂરી નથી કે યુદ્ધ થાય, પરંતુ જે મોદીને સમજવામાં મોટા નેતાઓએ ભુલ કરી છે તે મેં કરી નથી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, “મુળ મુદ્દો 24-25 કરોડ મુસલમાન પાકિસ્તાન સામે જૂઓ છે. આજે આપણે તમામ આંતરિક મદભેદ ભુલાવી કાશ્મીરના અવાજ સાથે અવાજ મિલાવવાનો છે. તેમના ખભા સાથે ખભા મિલાવીને ઊભા રહેવાનું છે, નહીંતર ઈતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.” મહત્વનું છે કે, શેખ રશીદ એ જ મંત્રી છે જેમની પર લંડનમાં હુમલો થયો હતો અને ઈંડાના ઘા કરાયા હતા. રશીદે શેખે ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની વાત કરી હતી, ત્યારબાદ જ્યારે લંડન ગયા તો લોકોએ તેમને ઘેરી લઈ મેથીપાક ચખાડ્યો હતો અને તેમના પર ઈંડાના ઘા પણ કર્યા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પોલીટીક્સ

મહાગઠબંધન સરકારને છોડો, દિલ્હીવાસીઓ તેમનાથી ખુશ થશે, નીતિશે સુશીલ મોદી પર કર્યો પ્રહાર

Published

on

બિહારની નવી સરકાર પર ભાજપનો પ્રહાર ચાલુ છે. હવે મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપના હુમલા પર વળતો જવાબ આપ્યો છે. નીતિશ કુમારે કહ્યું છે કે સુશીલ મોદીને મહાગઠબંધનની સરકારને વહેલામાં વહેલી તકે ઉથલાવી દેવા માટે કહો. સુશીલ મોદી પર કટાક્ષ કરતા નીતિશે કહ્યું કે સુશીલ મોદીએ હવે રોજેરોજ બોલવું જોઈએ જેથી કેન્દ્રમાં લોકો તેમનાથી ખુશ થાય અને તેમને બીજેપીમાં સ્થાન મળે.

Patna: Bihar Chief Minister Nitish Kumar at Bihar Assembly, in Patna on July 12, 2019. (Photo: IANS)

જણાવી દઈએ કે બિહારમાં નવી સરકારની રચના બાદ સુશીલ મોદીએ કહ્યું હતું કે બિહારની મહાગઠબંધન સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરી શકશે નહીં અને ટૂંક સમયમાં પડી જશે. સુશીલ મોદીએ કહ્યું છે કે નીતીશ કુમાર IRCTC કૌભાંડની વહેલી તકે તપાસ કરવા માંગે છે. જેથી તેજસ્વી જેલમાં જાય અને આરજેડી તૂટી શકે.

તેના જવાબમાં નીતિશ કુમારે કહ્યું કે જલ્દી સુશીલ મોદી સાથે વાત કરો કે મહાગઠબંધન સરકારને નીચે લાવવી જોઈએ. નીતીશ કુમારે કહ્યું કે જો સુશીલ મોદી એમ કહી રહ્યા છે કે તેમની સરકાર પડી જશે તો તેમને જલ્દી પડતી મૂકવા કહો જેથી તેમને બીજેપીમાં કોઈ સ્થાન મળે. નીતીશે કહ્યું કે જ્યારે 2020માં બિહારમાં સરકાર બની ત્યારે તેમનું કશું જ બન્યું ન હતું. આ કારણે હું પીડામાં હતો. સુશીલ મોદીએ હવે રોજેરોજ બોલવું જોઈએ કારણ કે જો આ બહાને કેન્દ્રના લોકો તેમનાથી ખુશ થશે તો તેઓ ખૂબ ખુશ થશે. આથી તે રોજેરોજ વાત કરતો રહેતો.

તમને જણાવી દઈએ કે બિહારમાં JDU-RJD સરકાર બન્યા બાદ ભાજપ પર હુમલો થયો છે. નીતિશના જૂના મિત્ર રહેલા સુશીલ મોદી સતત નીતિશ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારે બિહારમાં એ જ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. હવે નીતિશને લાગે છે કે કોંગ્રેસ ડૂબી રહી છે. જેથી તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકે છે.

સુશીલ મોદીએ કહ્યું કે વિધાનસભામાં સ્પીકર તરીકે ચૂંટાયેલા અવધ બિહારી ચૌધરીને કારણે JDUનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કારણ કે રાષ્ટ્રીય જનતા દળને માત્ર 5 થી 6 ધારાસભ્યોની જ જરૂર છે. વક્તા તેમના છે. માંઝીના ચાર માણસો ગમે ત્યારે બાજુ બદલી શકે છે. તેમણે કહ્યું કે આરજેડી બેથી ત્રણ જેડીયુ ધારાસભ્યો સાથે અલગ સરકાર બનાવી શકે છે.

Continue Reading

ગુજરાત

રાજ્યના ત્રણ મહાનગરોને મળ્યા નવા મેયર, ડેપ્યુટી મેયર….

Published

on

By

રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજથી તમામ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ ત્રણ મહાનગરોમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદા જોશીના નામ પર મહોર વાગી છે.

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલની ભાજપ મોવડી મંડળે વરણી કરી છે. જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામ પર મહોર વાગી છે.

આ સાથે અમદાવાદમાં પણ નવા મેયર તરીકે કીરિટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર સહિતના હોદ્દા પર કોણ બેસશે તે માટે અનેક મુદ્દે નામોની અટકળો ચાલી રહી હતી. જે અટકળો પર આજે પૂર્ણવિરામ મુકાયુ છે.

Continue Reading

ગુજરાત

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે લહેરાવ્યો કેસરિયો

Published

on

By

28 ફેબ્રુઆરી 2021ના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે હવે મંગળવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.

જો કે, ગુજરાતની 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી પરિણામ આવી ગયા છે. ત્યારે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી 25 બેઠક બિનહરીફ ચૂંટાઈ હતી. જ્યારે આજે 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસ દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

અત્યાર સુધીના પરિણામ પર નજર કરીએ તો જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 798 પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. તો જિલ્લા પંચાયતની 169 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે 2720 નગરપાલિકામાં 2074 પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 386 બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતમાં 4774 સીટોમાંથી 3365 સીટો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે 1225 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. રાજ્યમાં ભાજપને મળેલ ભવ્ય જીત બાદ ઠેર ઠેર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

Continue Reading
એન્ટરટેનમેન્ટ3 mins ago

ઉર્ફી જાવેદઃ ટોપલેસ ફોટો શેર કર્યો, આ વખતે હાથ પણ ઢાંક્યા નથી!

Uncategorized7 mins ago

આલિયાથી લઈને મલાઈકા સુધીની અભિનેત્રીઓની મોંઘી અને અવનવી બેગ જુઓ

બિઝનેસ12 mins ago

તમારી પાસે પણ છે 2000 રૂપિયાની ફાટેલી નોટ, તો હવે તમને આટલા જ પૈસા મળશે

બિઝનેસ15 mins ago

2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ PNB અને AXIS બેંકે બદલ્યો નિર્ણય, ગ્રાહકોને થશે નુકસાન

ટેક્નોલોજી18 mins ago

હવે વ્હોટ્સએપ પર બધું સરળ થઈ જશે! નવા ફીચર બદલી નાખી ગેમ; તમારે પણ જાણવું જોઈએ

Uncategorized1 hour ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ2 hours ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ2 hours ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending