ગુજરાતમાં વધતો જતો કોરોનાનો કહેર, વધુ 783 પોઝિટિવ કેસ નોંધાયા

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપવામાં આવી હતી. ત્યારે 7 જુલાઈ સાંજથી 8 જુલાઈ સાંજ સુધીમાં વધુ 783 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 38419 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 16 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1995 થયો છે. જ્યારે 24 કલાકમાં 569 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 27313 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 273 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 156, વડોદરામાં 67, રાજકોટમાં 39 કેસ સામે આવ્યા છે.તો ગાંધીનગર-ભાવનગરમાં 19-19 કેસ સામે આવ્યા છે. જ્યારે બનાસકાંઠા-મહેસાણામાં 15-15 કેસો સામે આવ્યા છે. તો ભરુચ-સુરેન્દ્રનગરમાં 16-16 કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે નવસારીમાં 14, વલસાડમાં 17, જુનાગઢમાં 11 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 9111 એક્ટિવ કેસ છે. જેમાં 67 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 9044 સ્ટેબલ છે.

Share This Article