કોરોનાકાળમાં રાજ્યમાં બદલીઓનો દોર યથાવત

admin
1 Min Read

સચિવાલયના ક્લાસ 1 કુલ 84 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ આદેશમાં એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી, અન્ડર સેક્રેટરીની બદલીઓ કરવામાં આવી છે. રાજ્યના 24 અધિકારીઓની બદલી જ્યારે 60 જેટલા ઉપસચિવોને બઢતી આપવામાં આવી છે.

રાજ્યના સચિવાયલયમાં સેવા સંવર્ગ વર્ગ-1ના અધિક સચિવ, સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સંવર્ગના 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ આદેશમાં અધિક સચિવ કે.બી.શાહને માર્ગ મકાન વિભાગમાં મુકાયા છે. જયારે બી.એન.એરડાની નર્મદા નિગમમાં બદલી કરાઈ છે. આર.એમ.છત્રપતિની સ્પીપા અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. તો વી.ટી.મંડોરાની પાણી પૂરવઠામાં બદલી કરાઈ છે. જ્યારે ડી.બી.પરમારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં બદલી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ બદલી પ્રક્રિયામાં 84 અધિકારીઓ પૈકી 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જયારે 60 ઉપ સચિવ અધિકારીઓની નાયબ સચિવ તરીકે બઢતી કરીને તેમની બદલી કરવામાં આવી છે.

Share This Article