ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમ ઉજબેકિસ્તાનનાં પ્રવાશે છે ત્યારે તેઓ તાશકંદમાં ઉજબેકિસ્તાન સામે 2 ફ્રેન્ડલી મેંચ રમશે. જેમાં બન્ને વચ્ચે પ્રથમ મેચ 30 ઓગસ્ટનાં રોજ રમાશે જ્યારે બીજી મેચ 2 સપ્ટેમ્બરનાં રોજ રમાશે. આ અંગે ભારતીય મહિલા ફૂટબોલ ટીમનાં કોચ મેયમોલ રાકીએ જણાવ્યું હતું કે, અગાઉ ભારતીય ટીમે અહીં યોજાયેલ અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો. જે બાદ ટૂંકો વિરામ લઈ તમામ પ્લેયર શિબિરમા પરત ફર્યા હતા. જે બાદ તેમણે સત્રમાં પોતાની ગેમ પ્રત્યે ફોકસ કર્યું હતું. હું તેમની પ્રતિબદ્ધતા અને કામગીરીને જોઈને ખૂબ જ ખુશ છું. કારણ કે અમારી ટીમ શ્રેષ્ઠ ફોર્મમાં છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં તુર્કી મહિલા કપમાં ભારત અને ઉજબેકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં ભારતે 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારતને તે હારનો બદલો આગામી 2 મેચમાં મળી શકે છે. ભારત અને ઉજબેકિસ્તાનના ફિફાં રેન્કિંગની વાત કરીએ તો ઉજબેકિસ્તાની ટીમ હાલ 44માં રેન્ક પર છે જ્યારે ભારતીય ટીમ 57માં રેન્ક પર છે.