જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારત સામે ઝેર ઓકી રહ્યુ છે અને ભારત સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી રહ્યુ છે. ત્યારે પાકિસ્તાન રેંજર્સ દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહિદ થયો હતો. જોકે ભારતીય સેનાએ પણ આનો જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાન સેનાની એક ચોકી તોડી પાડી છે. પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝફાયરના ઉલ્લંઘનનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન ભારતીય સેનાએ એલઓસીને પાર સ્થિત એક પાકિસ્તાની પોસ્ટને નિશાન બનાવી તોડી પાડી હતી. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. એક અહેવાલ અનુસાર રાજૌરીના નૌશેરા સેક્ટરમાં શનિવારે સવારે 6.30 કલાકે પાકિસ્તાને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ. આ ગોળીબારમાં ભારતીય સેનાના લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઇ ગયાં છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ હજુ પણ યથાવત છે. જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment