જામનગર: સાંસદશ્રી પૂનમબેન માડમે વેકસીનનો બીજો ડોઝ લઈ અન્યોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી

admin
1 Min Read

નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લઇ અન્ય નાગરિકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી હતી. આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે મજબૂતીથી લડી રહ્યો છે ત્યારે આ મહામારી સામે લડવાનું મજબૂત હાલના તબક્કે જો કોઈ હોય તો તે એક માત્ર વેકસીન જ છે. અને તેથી જ મેં પણ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

વેક્સિન કોરોના મહામારી સામે લડવામાં ચોક્કસપણે મદદરૂપ થાય છે પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘દવાઈ ભી,ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરી માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે. કોરોના સામે લોકોને જાગૃતિ દાખવી પોતાની જાતને સુરક્ષિત કરવા અને જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે અચૂક વેક્સિન લેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તકેદારી રાખીશું તો ચોક્કસ આ મહામારી પર વિજય મેળવીશું. આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમની સાથે મેયરશ્રી બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદીની દેસાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસરશ્રી ડો. ચેટરજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

Share This Article