ઝાંસી કી રાણી લક્ષ્મીબાઇ જન્મ જયંતિની ઉજવણી કરાઈ

admin
1 Min Read

ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની જન્મ જ્યંતી નિમિત્તે સુભાનપુરા ખાતે આવેલ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેન્ડબાજા સાથે વિરાંજલી અર્પણ કરાઈ હતી. પોતાના રાજ્ય માટે અંગ્રેજો સામે ઝઝૂમી દેશની આઝાદી માટે બલિદાન આપનાર એવી વીર ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની આજે જન્મ જયંતીની વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુભાનપુરા હાઈ ટેનશન રોડ પર આવેલા ઝાંસી સર્કલ સ્થિત ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર ડૉ જીગીષાબેન શેઠ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કાઉન્સિલર રાજેશ આયરે તેમજ પાલિકાના પદાધિકારીઓ, શાળાના બાળકો ઉપસ્થિત રહી બેન્ડબાજા સાથે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા પર વિરાંજલી સાથે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Share This Article