કાંકરેજની ચકચારી ઘટના : ગેસ ગળતરની ઘટનામાં બેના મોત

admin
1 Min Read

બનાસકાંઠાના મોટા જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગૂંગળામણથી કરૂણ મોત નિપજયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકો અસરગ્રસ્ત થતાં સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના કાંકરેજના મોટાજામપુરમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ગેસ ગળતર થતા 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4 લોકોને અસર થઇ છે. જેને લઇને તમામ ચારેય લોકોને સારવાર માટે રાધનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. બાયોગેસના કુવામાં સફાઇ કરવા માટે જતા આ ઘટના બની હતી.

આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઘટનામાં મોતને ભેટનાર આનંદ ચૌધરી અને સુંધાજી ઠાકોર નામના બે યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી શિહોરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article