કરીના એ એલે બ્યૂટી એવોર્ડમાં કરી ખાસ વાત – મૃત્યુ સુધી અભિનય ચાલુ રાખીશ

admin
1 Min Read

લગભગ બે દાયકાથી બોલિવૂડ પર રાજ કરનારી અભિનેત્રી કરીના કપૂર કહે છે કે તેનો જન્મ અભિનય માટે થયો હતો અને તેને આશા છે કે તે તેમના મૃત્યુ સુધી અભિનય ચાલુ રાખશે. કરીનાએ અભિષેક બચ્ચન સાથે 2000 ની ફિલ્મ ‘રેફ્યુજી’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો……આ પછી તે ઘણી સફળ ફિલ્મોનો ભાગ હતી, જેમાં ‘ઉડતા પંજાબ’, ‘વીરે દી વેડિંગ’, ‘ચમેલી’, ‘જબ વી મેટ’ અને ‘અશોકા’ જેવી ફિલ્મ્સ શામેલ છે……આ વિશે કરિનાએ કહ્યું કે, “આ 20 વર્ષ લાજવાબ રહ્યા છે. શ્રેષ્ઠ લોકો સાથે કામ કરવા માટે તે એક મહાન મુસાફરી રહી છે……

 

જણાવી દઈએ કે કરીના ત્રીજી વખત આમિરખાન સાથે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં કામ કરી રહી છે…..એલે બ્યૂટી એવોર્ડ 2019ના રેડ કાર્પેટ પર મિડિયા સાથેની વાતચીતમાં કરીનાએ કહ્યું કે ફિલ્મ વિશે વધારે વાત કરીશ નહીં, કારણ કે તે ખૂબ જ ખાસ છે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે ચોક્કસપણે તેના વિશે વાત કરીશું…….વાત કરીએ કરીનાની તો તે હાલ શો DID ની જજ છે……. તેની સાથે તે પોતાનુ રેડિયો શો વોટ વુમન વોન્સની બીજી સિઝન પણ લઇને આવી રહી છે……

Share This Article