લુણાવાડા ડેપોનો બસનો ડ્રાઈવર દારુના નશામાં ઝડપાયો

admin
1 Min Read

એસટી બસના ચાલક અને કંડક્ટર દારુના નશામાં ધૂત થઈને બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં નાખતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી કચુક્યા છે.  ત્યારે ફતેપુરાથી જુનાગઢ જઈ રહેલ બસનો ડ્રાઈવર દારુના નશામાં હોવાનું સામે આવ્યુ હતું. આ બસ મહિસાગરના લુણાવાડા ડેપોની હોવાનું જાણવા મળ્યુ હતું. મુસાફરોને બસ ડ્રાઈવર દારુના નશામાં હોવાનું જાણવા મળતા બાલાસિનોર બસ સ્ટેશન ખાતે રોકાવી દીધી હતી. તેમજ લુણાવાડાથી બાલાસિનોર સુધીમાં ત્રણ વખત અકસ્માત થતા થતા પણ બચી ગયો હતો. ડ્રાઈવરની ગંભીર બેદરકારી અંગે મુસાફરોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દારુના નશામાં ધૂત ડ્રાઈવરની અટકાયત કરી હતી. જ્યારે બસ ડેપો પર અટવાયેલા મુસાફરોને બે કલાક બાદ બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરી આપવામાં આવ્યા બાદ બસ રવાના કરાઈ હતી. મહત્વનું છે કે આ પહેલા છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસનો ડ્રાઈવર દારૂના નશામા બેફામ એસટી બસ ચલાવતા નજરે પડ્યો હતો.

Share This Article