એસટી બસના ચાલક અને કંડક્ટર દારુના નશામાં ધૂત થઈને બસ હંકારી મુસાફરોના જીવ જોખમમાં નાખતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી કચુક્યા છે. ત્યારે ફતેપુરાથી જુનાગઢ જઈ રહેલ બસનો ડ્રાઈવર દારુના નશામાં હોવાનું સામે આવ્યુ હતું. આ બસ મહિસાગરના લુણાવાડા ડેપોની હોવાનું જાણવા મળ્યુ હતું. મુસાફરોને બસ ડ્રાઈવર દારુના નશામાં હોવાનું જાણવા મળતા બાલાસિનોર બસ સ્ટેશન ખાતે રોકાવી દીધી હતી. તેમજ લુણાવાડાથી બાલાસિનોર સુધીમાં ત્રણ વખત અકસ્માત થતા થતા પણ બચી ગયો હતો. ડ્રાઈવરની ગંભીર બેદરકારી અંગે મુસાફરોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દારુના નશામાં ધૂત ડ્રાઈવરની અટકાયત કરી હતી. જ્યારે બસ ડેપો પર અટવાયેલા મુસાફરોને બે કલાક બાદ બીજા ડ્રાઈવરની વ્યવસ્થા કરી આપવામાં આવ્યા બાદ બસ રવાના કરાઈ હતી. મહત્વનું છે કે આ પહેલા છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસનો ડ્રાઈવર દારૂના નશામા બેફામ એસટી બસ ચલાવતા નજરે પડ્યો હતો.
લુણાવાડા ડેપોનો બસનો ડ્રાઈવર દારુના નશામાં ઝડપાયો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.