1.41 લાખથી વધુ લોકો ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત થયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જેના કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 2 ઓક્ટોબર સાંજથી 3 ઓક્ટોબર સાંજ સુધીમાં 1343 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 1343 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 1,41,398 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1304 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 12 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3490 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,21,119 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 277 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 194, વડોદરામાં 128 અને રાજકોટમાં 163 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 31, જામનગરમાં 90, પંચમહાલમાં 19, અમરેલીમાં 27, સુરેન્દ્રનગરમાં 26 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16789 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article