Connect with us

ધર્મદર્શન

“નંદ ધેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી – હાથી ધોડા પાલખી જય કનૈયા લાલ કી”

Published

on

જન્માષ્ટમી જેને ગોકુલ અષ્ટમી પણ કહેવામાં આવે છે…..ગોકુલ અષ્ટમી એટલે.. નટખટ કાનુડાનો જન્મોત્સવ. શ્રાવણ વદ આઠમના દિવસે સમગ્ર ગુજરાત સહીત અનેક જગ્યાએ કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે…આ દિવસે લોકોના ધરોમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે….કાનુડાની જન્મ કથા પણ અનોખી છે…

કાનુડાની અનેક લીલાઓ વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ..જેની લીલા તો જન્મ થતાંની સાથે જ શરૂ થઇ ગઈ હતી…..એકના ખોળે જન્મ લીધો તો બીજાના ખોળે ઉછર્યા…શ્રી કૃષ્ણનો જન્મ રાત્રીના ૧૨ વાગે મથુરાની જેલમાં થયો હતો…માતા દેવકી અને પિતા વાસુદેવનું આઠમું સંતાન હતા કૃષ્ણ….જેને કંસના ડરથી વાસુદેવ યમુના નદી પાર કરી નંદબાબા અને માતા યશોદા પાસે મૂકી આવ્યા…જે કથા વિશે સૌ કોઈ જાણે છે….

આ દિવસે રાત્રીના ૧૨ વાગે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે..ઘરો અને મંદિરો ‘નંદ ધેરા આનંદ ભર્યો જય કનૈયા લાલ કી’ અને હાથી ધોડા પાલખી જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ગુંજી ઉઠે છે ને વાર્તાવરણ આખું ભક્તિમય બની જાય છે…સૌ કોઈ કાનુડાના રંગમાં રંગાઇ જાય છે…

ગોવાળિયાને માખણ મીસરી તો ખૂબ પ્રિય છે..આ દિવસે ઠેર-ઠેર મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.બીજા દિવસે પારણાં કરવામાં આવે છે… કાનો કહો કે કાનુડો’ લાલો કહો કે લાલજી..એવા ૧૦૦૦ નામ વાળા વ્હાલાનો જન્મોત્સવ હોય તો સૌ કોઈના મનમાં હરખની હેલી કેમ ન હોય….

Happy Krishna Janmashtami design. Dahi Handi. Hanging earthen pot with Makhan and coconut. Hindu festival Gokulashtami. Vector illustration

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

રામ મંદિર નિર્માણ માટે BAPS સંસ્થાએ આપ્યું દાન….

Published

on

By

શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભવ્ય મંદિરના નિર્માણ માટે આખા દેશમાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં 15 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

આ પ્રથમ તબક્કામાં રાજ્યના વેપારીઓ અને મહાજન મંડળોએ રામ મંદિરના નિર્માણ માટે લગભગ 100 કરોડ જેટલી નિધિ સમર્પિત કરી છે. આ અભિયાનના બીજા તબક્કામાં પણ દાનનો ધોધ વહી રહ્યો છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક ધાર્મિક સંસ્થાઓ દાન કરી રહી છે, ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 2 કરોડ 11 હજાર 11 રૂપિયાનો ચેક મુખ્યપ્રધાનને અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પ્રશંસનીય કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. સાથે જ રામ મંદિરના કન્ટ્રક્શનમાં પણ સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો હોવાની તેમણે વાત કરી હતી.

Continue Reading

ધર્મદર્શન

કુંભ મેળો : શ્રદ્ધાળુઓ માટે SOP જાહેર

Published

on

By

કોરોના કાળમાં હરિદ્વાર ખાતે યોજાનારા કુંભ મેળાને લઈ SOP જાહેર કરવામાં આવી છે જેમાં નોંધણી અને કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. કુંભમાં પ્રવેશના 72 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ આવે તેવા શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. સમગ્ર કુંભ મેળા ક્ષેત્રમાં કોરોના સંક્રમણથી બચાવને ધ્યાનમાં રાખીને સરકારે 10 સેક્ટર માટે SOP બહાર પાડી છે.

આ સેક્ટર્સમાં આશ્રમ, ધર્મશાળા, હોટેલ, રેસ્ટોરા અને ગેસ્ટહાઉસ, દુકાન, વ્યાપારી સંસ્થાનો, ધાર્મિક સ્થળો, સાર્વજનિક પરિવહન, વાહનો માટેના પાર્કિંગ સ્થળો, હોલ્ટિંગ પોઈન્ટ, ઘાટ, રેલવે અને બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ એસએ મુરૂગેશનના કહેવા પ્રમાણે કુંભ માટે આંતરરાજ્ય પરિવહન, નોંધણી વગેરેને લઈ ટૂંક સમયમાં જ વધુ એક SOP જાહેર કરવામાં આવશે.

માઘ પૂર્ણિમા પર 27મી ફેબ્રુઆરીના રોજ હરિદ્વારમાં કુંભનું આયોજન પ્રસ્તાવિત છે જેને લઈ સરકારે તૈયારીઓ વધારી દીધી છે. કુંભ સામેનો મુખ્ય પડકાર કોવિડનું સંક્રમણ ફેલાતું અટકાવવું તે છે અને તેને ધ્યાનમાં રાખીને જ વિભિન્ન સેક્ટર માટે SOP જાહેર કરવામાં આવી છે. કુંભમાં આવતા તમામ યાત્રિકો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે તથા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

Continue Reading

ગીર સોમનાથ

સોમનાથના દરિયામાં તૈયાર કરાશે કાચની ટનલ, આવો હશે નજારો…..

Published

on

By

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ 300 કરોડની ફાળવણી કરાઇ છે.

300 કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઘાટ પણ કરવામાં આવશે. પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. સોમનાથ ખાતે અધ્યતન બસ સ્ટેશન પણ તૈયાર કરાશે.

યાત્રાધામને પ્રોત્સાહન આપવા તૈયાર કરાઈ રહેલ પ્રોજેક્ટોમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.

તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

Continue Reading
Uncategorized1 hour ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized1 hour ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized2 hours ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized17 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized18 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized18 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized18 hours ago

ગૂગલ મેપ્સમાં યુઝર્સ માટે ઉમેરાયેલું આ નવું ફીચર તમારા માટે ઉપયોગી થશે

Uncategorized18 hours ago

સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી અંગે 6 મહિનામાં નિર્ણય કરોઃ કર્ણાટક હાઈકોર્ટ

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Uncategorized4 weeks ago

કર્ણાટકમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; છેલ્લા 2 મહિનામાં આવી ચોથી ઘટના

Trending