નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ૦૮ અને દેડીયાપાડા મત વિસ્તારમાં ૦૫ ઉમેદવારોના ફોર્મ માન્ય

admin
1 Min Read

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે આગામી તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ગઇકાલ સુધીમાં સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓની કચેરીઓમાં જે તે ઉમેદવારોએ રજુ કરેલા ઉમેદવારી પત્રોની આજે તા.૧૫ મી નવેમ્બર,૨૦૨૨ ના રોજ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા આજે નિયત સ્થળોએ તેની ચકાસણી હાથ ધરાઇ હતી.

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે રજુ થયેલા ૧૦ ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે ૦૮ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે, જ્યારે ૦૨ ઉમેદવારોના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યાં છે. ચકાસણી બાદ આજે ૦૧ ઉમેદવારે તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચેલ છે.

તેવી જ રીતે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે રજુ થયેલા ૦૬ ઉમેદવારોના ફોર્મની ચકાસણીના અંતે ૦૫ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે, જ્યારે ૦૧ ઉમેદવારોના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે. ચકાસણી બાદ આજે ૦૧ ઉમેદવારે તેમનું ઉમેદવારીપત્ર પરત ખેંચેલ છે.

Share This Article